ભારતમાં લોકોનો પશુપ્રેમ અદ્વિતિય છે. પાળેલ પશું ઘરનું સભ્ય જેવું બની જાય છે. ખેડૂત ગમાણમાં સૂએ અને તમે પુછો કે ત્યાં એકલો કેમ સૂતો છે? તો કહે છે કે એકલો ક્યાં છુ આ ગાય ને ભેંસો છે ને!.

રોહામાં આર્થિક કારણથી કોઇ ખેડૂતને પોતાના બળદ વેચવા પડે તેમ હતા. તેથી તે ખેડૂત તાત્યા ને વચ્ચે રાખી (બ્રાહ્મણો ત્યારે સ્વૈચ્છિક રીતે મધ્યસ્થી કરતા) કોઇને સો રૂપિયામાં બળદ વેચવા કચવાતે મને તૈયાર થયો. સોદો પાકો થવાનો જ હતો તે પહેલા તે ખેડૂત ગામમાં જઇ એક બીજા ગ્રાહકને શોધી લાવ્યો અને તાત્યાને કહ્યું કે મારે બળદ આ નવા ગ્રાહકને વેચવા છે પેલા ને નહિ.

તાત્યાએ પુછ્યું કે શું તને એ વધારે પૈસા આપે છે?
ખેડૂતે કહ્યું કે ના તે મને ૭૫ રૂપિયા આપવાનો છે.
સૌને નવાઇ લાગી કે આ ખેડૂત ઓછા પૈસામાં બળદ વેચવા કેમ તૈયાર થયો? તેને પુછ્યુ તો કહ્યું કે આ પંચોતેર રૂપિયા વાળા ગ્રાહકને બીડી પીવાની ટેવ છે

જ્યારે સો રૂપિયા વાળાને કોઇ જ ટેવ નથી. વ્યસની ખેડૂત જ્યારે મારા બળદથી ખેતી કરશે તો વચ્ચે વચ્ચે બીડી પીવા ઉભો રહેશે અને મારા બળદને આરામ મળશે. પેલો ખેડુત તો ઉભો જ નહી રહે તેથી બળદને બહુ મજૂરી કરાવશે.

આ સાંભળીને બધા છક જ થઇ ગયા. વ્યસનની પણ કોઇ કિંમત હોય છે તેવું આ ઉદાહરણ હતુ.

સાર: માણસમાં ભાવ હોવો જોઇએ. તે પશુ પ્રત્યે પણ એટલો જ હોઇ શકે જેટલો બીજા માનવી પ્રત્યે.

[Ref: Swadhyay Pravachan]