કોઇ રાજ્યમાં ચોરી વધી ગઇ. લોકોના ધનની ખુલ્લેઆમ લુંટ થતી. સ્ત્રીઓ માટે ઘરેણા પહેરી ને ફરવાનું મુશ્કિલ બની ગયું. આથી રાજાએ કાયદો બહાર પાડ્યો કે સ્ત્રીઓએ ઘરેણા પહેરી બહાર નીકળવું નહી. થોડા દિવસ લોકોએ કાયદો પાળ્યો. ફરીથી સ્ત્રીઓ પહેરવા માંડી અને ચોરી વધવા લાગી.
કાયદાનું પાલન બરાબર થતું ન હતુ. આથી રાજાએ પ્રધાનોને પુછ્યું કે પાલન કેવી રીતે કરાવવું જોઇએ. છેવટે એક પ્રધાને કાયદો સુધારાવ્યો – કે સ્ત્રીઓને ઘરેણા પહેરવાની મનાઇ છે પરંતુ વેશ્યાઓને છુટ છે. આ પછીથી સ્ત્રીઓને પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો તેથી કાયદો આપમેળે પળાવા લાગ્યો.
સાર: કોઇ પણ કાયદો તે કેવી રીતે પળાવાનો છે તે જોઇને બનાવવો જોઇએ. પ્રતિષ્ઠા માટે લોકો કાયદો પણ પાળી શકે છે. અને પ્રતિષ્ઠા ના ગુમાવાતી હોય તો લોકો કાયદો ના પણ પાળે.
[From swadhyay pravachan]

No comments yet
Comments feed for this article