એક દિવસ શંકરાચાર્યએ “બ્રહ્મ સત્યં જગન્મિથ્યા” પર પ્રવચન આપ્યું અને બીજા દિવસે સવારે નહાવા નીકળ્યા. રસ્તામાં કોઇ હાથી ગાંડો થયો હતો અને શેરી વચ્ચે નિરંકુશ દોડતો નીકળ્યો. લોકો બધા ભાગીને બીજી બાજુ જતા રહ્યા જેથી હાથી સીધો નીકળી જાય. શંકરાચાર્ય પણ બાજુ પર ખસી ગયા. હાથી જતો રહ્યો. પરંતુ કોઈ ટીખળી યુવાને આ જોયું અને શંકરાચાર્ય ને પુછ્યું કે તમે ગઇ કાલે તો “બ્રહ્મ સત્યં જગન્મિથ્યા” પર પ્રવચન આપ્યું – તે મુજબ આ હાથી તો મિથ્યા છે તો પછી તેનાથી ડરીને કેમ ખસી ગયા? શંકરાચાર્ય તેની ટીખળ સમજી ગયા અને કહ્યું કે જો હાથી મિથ્યા છે તો પછી મારું ખસવું પણ મિથ્યા જ છે. હું તો ખસ્યો જ ન ગણાઉં.

સાર: દરેક તત્વજ્ઞાનીમાં ઇહલોક અને પરલોક ને સમજવાની દક્ષતા હોવી જોઇએ. પરલોકની વાત કરીને સમાજના વ્યવહારું જ્ઞાનની ઉપેક્ષા કરી શકાય નહિ.

[Source: swadhyay pravachan]