એક કોઇ સન્યાસી કોઇ શેઠના બંગલામાં ભિક્ષા માંગવા જઇ રહ્યો હતો. પરશાળમાં કોઇ કૂતરો બાંધેલો હતો. કૂતરાએ સન્યાસીને જોઇને ભસવાનું ચાલુ કર્યુ. સન્યાસીએ કહ્યું કે તારે તો ચોરને ભસવું જોઇએ હું તો સન્યાસી છું.

કૂતરાએ કહ્યું કે મને આદેશ છે કે કોઇ પણ બે પગ વાળું અજાણ્યું મનુષ્ય અહિં આવે તો મારે ભસવું. મને સન્યાસી શું તે ખબર નથી.

સન્યાસીએ કહ્યું કે જો બીજા બધા મનુષ્યો ખાવાનું પોતે કમાઇ છે જ્યારે હું મારા અન્નની ચિંતા કરતો નથી. રોજની ભિક્ષા માંગીને ખાંઉ છું.
કૂતરાએ કહ્યું કે હું પણ મારા અન્નની ચિંતા કરતો નથી. હું તો સાંજની ખાવાની પણ ચિંતા કરતો નથી અને અત્યારેં જે મળે તે ખાઇ લઉં છું.

સન્યાસીએ કહ્યું કે પણ હું બધાની માફક ખૂબ વસ્ત્રો પહેરતો નથી. હું એક જ વસ્ત્ર રાખું છુ અને પહેરું છું.

કૂતરાએ કહ્યું કે હું તો વસ્ત્ર પહેરતો જ નથી. તો આપણામાં ફર્ક શું?

સાર: બે પરસ્પર વિરોધી વસ્તુ બાહ્ય દેખાવથી સરખી લાગતી હોય છે. બાહ્ય રીતે કૂતરામાં અને સન્યાસીમાં કોઇ ફર્ક ન હોય પરંતુ તાત્વિક રીતે સહુ જાણે છે કે તેમાં શું ફર્ક છે. તેવી જ રીતે સંપૂર્ણ મૂર્ખ અને સંપૂર્ણ જ્ઞાનીની બાહ્ય કૃતિ સમાન દેખાઇ શકે છે.

[Source: Swadhyay pravachan]