એક વાર કોઇ સાધુ કોઇ શેઠના ઘરે રાતવાસો કરવા આવ્યા. સાધુ હજી કાચા હતા. સવારે શેઠાણીએ તેમના માટે પાણી કાઢી ન્હાવા માટે કહ્યું તો સાધુએ કહ્યું કે સ્નાનની મારે કોઇ જરૂર નથી હું તો જ્ઞાનવારિથી નહાયેલો છું.

શેઠાણી પામી ગયા કે સાધુ આળસું છે. તેમણે જમતી વખતે સાધુની રસોઇ તીખી બનાવી. સાધુએ મોમાં કોળિયો લેતા જ પાણી માંગ્યું. શેઠાણી એ તુરંત કહ્યું કે હવે જ્ઞાનવારિ પીવો.

[Ref: Swadhyay Pravachan]

એકવાર કોઇ ભાઇને એક ગામથી બીજે ગામ જવુ હતું. રાત થઇ ગઇ હતી અને અંધારુ હતુ. ભાઇને એકલા જતા ડર લાગતો હતો. રસ્તામાં જંગલ આવતું હતુ. (ડરી શકાય તેવું બધું જ હતું). અને ભાઇ હનુમાન ચાલીસા બોલતા બોલતા નીકળ્યાં. ત્યાં રસ્તામાં કોઇ લંગડો માણસ મળ્યો. વાત થતા ખબર પડી કે તે પણ એ જ ગામ જાય છે. એક કરતા બે ભલા. અને ભાઇ નો બધો ડર જતો રહ્યો.

હકીકતમાં કોઇ રાક્ષસ રસ્તામાં આવી જાય તો તે લંગડો માણસ કશું કરી શકવાનો ન હતો પરંતુ કોઇ બીજુ મારી સાથે છે આ વિચાર માણસમાં હિમ્મત લાવે છે.

સાર: આ જ રીતે જો માણસ ભગવાન મારી સાતે છે તેવું માને તો તેને કોઇ ડર લાગી શક્તો નથી. લંગડાનું ઉદાહરણ એ રીતે કે તે સામાન્ય માણસ કરતા શારીરીક નબળો છે છતા તે પણ સાથે હોય તો માણસને સામર્થ્ય મળે છે. તો પછી ભગવાન તો આપણા કરતા પણ સર્વ શક્તિમાન છે. અને તે આપણી સાથે છે આ સમજ પાકી થાય તો?

[Ref: Swadhyay Pravachan]

વસુદેવસુતન્ દેવમ્ કંસ ચાણુર મર્દનમ્
દેવકી પરમાનંદમ્ કૃષ્ણં વંદે જગદ્-ગુરુમ્

એ જ અભ્યર્થના કે અહીં પ્રવચનમાં આવતા ઉદાહરણો નિયમિત રીતે ટાંકી શકુ. તેમાં રહેતી કોઇ ક્ષતિ મારી હશે.